ચેન્નાઈ: ચક્રવાતી તોફાન નિવાર નબળું પડીને અતિ ગંભીર શ્રેણીમાંથી ગંભીર શ્રેણીમાં આવી ગયું છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા મુજબ 26 નવેમ્બરે મધરાતે 2.30 વાગે પુડુચેરી પાર કરી ગયા બાદ તેની 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઘટીને 100-110 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ. તોફાન ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. આગામી છ કલાકોમાં તે નબળું પડી જશે. તામિલનાડુ અને પુડુચેરીના અધિકારીએ તોફાનથી ઊભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે અનેક ઉપાય કર્યા છે. તામિલનાડુ અને પુડુચેરીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube